મમતાએ આપી ભાજપને ખુલ્લી ધમકી: બંગાળના CMએ કહ્યું- કાયમ બીજેપીની સરકાર નહીં રહે, આજે નહીં તો કાલે બદલો જરૂર લઈશ
![top-news](https://gujaratvandan.com/public/uploads/images/newsimages/GujaratVandan16052024_132623_Mamta 22.webp)
- 16 May, 2024
લોકસભા ચૂંટણી 2024 માટે ચાર તબક્કાનું વોટિંગ પુરું થઈ ગયું છે અને ત્રણ તબક્કા બાકી છે. એવામાં વિવિધ રાજકીય પક્ષો એક-બીજા પર હુમલાઓ કરી રહ્યાં છે. આ જ સીલસીલામાં પશ્ચિમ બંગાળના મુખ્યમંત્રી અને તૃણમૂલ કોંગ્રેસના પ્રમુખ મમતા બેનર્જીએ ભારતીય જનતા પાર્ટી(બીજેપી) પર હુમલો કરતા કહ્યું કે બીજેપી સરકાર હમેશાં રહેશે નહીં, આજે નહીં તો કાલે તે ફેરફાર ચોક્કસ થશે.
બંગાળના હલ્દિયામાં એક જનસભાને સંબોધતા સીએમ મમતા બેનર્જીએ બીજેપીને બદલો લેવાની ધમકી આપી છે. તેમણે આરોપ લગાવ્યો છે કે નંદીગ્રામમાં તેમને હરાવવા માટે ચૂંટણીના પરિણામ બદલી નાંખવામાં આવ્યા હતા. તેમણે કહ્યું કે હું આજે નહિ તો કાલે બદલો લઈશ. બીજેપી, ઈડી, સીબીઆઈ દર વખતે ત્યાં નહિં રહે.
ટીએમસી ચીફે કહ્યું કે વિધાનસભા ચૂંટણી દરમિયાન નંદીગ્રામની ઘટનામાં મેં તમને લોકોને પહેલા જ કહ્યું છે, મારી સાથે છેતરપિંડી અને છળ કરવામાં આવી હતી. મારા વોટોને લૂંટી લેવાયા અને રિગિંગ પણ થયું. ચૂંટણી પહેલા ડીએમ, એસપી, આઈસીને બદલી નાંખવામાં આવ્યા હતા અને ચૂંટણી પરી થયા પછીથી લોડશેડિંગ કરીને પરિણામને બદલી નાંખવામાં આવ્યા હતા. હું આજે નહીં તો કાલે તેનો બદલો જરૂર લઈને જ રહીશ. હમેશાં બીજેપીની સરકાર રહેશે નહીં.
ગુજરાત વંદનના whatsapp ચેનલમાં જોડાવા આ લિંક પર ક્લિક કરોઃ
https://shorturl.at/hjzN0
ગુજરાત વંદનના whatsapp ગ્રુપમાં જોડાવા આ લિંક પર ક્લિક કરોઃ